Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કુટુંબી મહિલાના અગ્નિ સંસ્કાર કરી પાછા ફરતા ૬ ડાઘુના અકસ્માતમાં મોત

લખનૌ તા. ૯ : ઉત્તરપ્રદેશમાં વારાણસી - જોનપુર હાઇવે પર વહેલી સવારે થયેલા ટ્રક અને પિકઅપ વાનના અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને ૧૧ લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર આ તમામ લોકો સરાયખ્વાજાના જલાલપુર ગામના નિવાસી ધનદેવીના દાહ સંસ્કાર કરીને વારાણસી પરત ફરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે આ ઘટના સર્જાઇ હતી.

(3:18 pm IST)