Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૯૮

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

શરીરની લયબધ્‍ધતા

ફકત તમારી લયબધ્‍ધતા જુઓ જો તમને એવુ લાગે કે વહેલા સુઇ જવુ જોઇએ તો વહેલા સુઇ જાઓ અને સવારે વહેલા ઉઠો એકવાર તમને સમજાઇ જશે કે કયો સમય તમને અનુકુળ આવે છે. તો તેને દૈનિક ક્રિયા બનાવી દો કોઇવાર તે ળ૭શકય ના હોય તો બરાબર છે પરંતુ અનીયમીતતાને તમારી દૈનિક ક્રીયા ના બનાવો.

શરીરની લયબધ્‍ધતા ઉપર હવે ઘણુ બધુ સંશોધન થયું છે અને તેને બદલાવનો કોઇ રસ્‍તો નથી તે દરેક કોષમાં છે પંખીઓ સૂર્ય આથમી જતા સુઇ જાય છે. એકવાર આ પક્ષીઓને બનાવટી ચેમ્‍બરમાં રાખવામાં આવ્‍યા જેથી તેમને છેતરી શકાય જયારે બહાર રાત હોય ત્‍યારે ચેમ્‍બરમાં પ્રકાશ રાખવામાં આવ્‍યો અને બહાર દિવસ હોય ત્‍યારે ચેમ્‍બરમાં અંધકાર કરી દેવામા આવ્‍યો પરંતુ તેઓની શરીરની -લયબધ્‍ધતાના બદલાઇ અને તેઓના શરીર માટે રાત્રે જાગવાનું ખૂબ જ વિચીત્ર હતું.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:27 am IST)