Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દીલ જીતવાનું જાણે છેઃ રૂબીકા લીયાકત

મહિલા ઍન્કરે પીઍમના કર્યા વખાણ

નવી દિલ્હી તા. ૯ઃ ગઇકાલે વડા પ્રધાન નરેન્દ્રભાઇઍ ઇન્ડીયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરવાની સાથે કર્તવ્ય પથનું પણ ઉદ્દઘાટન કરેલ. નરેન્દ્રભાઇઍ જણાવેલ કે, આ અવસરે હું મારા તે શ્રમિક સાથીઓનો વિશેષ આભાર વ્યકત કરૂં છું, જેમણે કર્તવ્ય પથ ફકત બનાવ્યો નથી પણ શ્રમની પરાકાષ્ઠાથી દેશને કર્તવ્ય પથ દેખાડયો પણ છે. તેમણે લોકોને કર્તવ્ય પથ નિહાળવા આહવાન કર્યુ હતું.

આ અંગે મહિલા ઍન્કર રૂબીકા લીયાકતે નરેન્દ્રભાઇના વખાણ કરતા ટ્વીટ કરેલ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દીલ જીતવાનું જાણે છે, કર્તવ્ય પથ ઉપર શ્રમ કરનાર શ્રમજીવીઓને તેમના પરિવાર સાથે ર૬ જાન્યુઆરીઍ આમંત્રિત કર્યા છે. તેઓ પીઍમના વિશેષ અતિથી હશે.

(4:01 pm IST)