Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કૃષિક્ષેત્રમાં કરાયેલ સુધારાઓ દુરગામી, તેનાથી ખેડૂતોને પણ વિકલ્પ મળશે : નરેન્દ્રભાઇ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેનેડામાં આયોજીત ઇન્વેસ્ટ ઇન્ડીયા કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યુ કે  ભારત-કેનેડા દ્વિપક્ષિય સંબંધો આપણાં સહિયારા લોકશાહી મૂલ્યો અને ઘણા સમાન હિતઁ પર આધારિત છે વડાપ્રધાને કહ્યુ કે ભારતે શિક્ષણ, શ્રમ અને કૃષિ ત્રણે ક્ષેત્રોમાં સુધારાઓને આગળ વધાર્યા છે. આ ક્ષેત્રો લગભગ દરેક ભારતીય નાગરિકને સ્પર્શે છે. કૃષિક્ષેત્રમાં કરાયેલા સુધારાઓ દુરગામી છે, તેનાથી ખેડૂતોને વધારે વિકલ્પો મળશે એટલું જ નહીં નિકાસને પણ ગતિ મળશે.

(3:55 pm IST)