Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

નવરાત્રીમાં વૈષ્ણોદેવીના દર્શન માટે વધુ યાત્રીકોને મંજુરી

જમ્મુઃ તા.૧૦, નવરાત્રીમાં વૈષ્ણોદેવી માતાના દર્શનનો વધુ લોકો લાભ શકે તેવી યોજના જમ્મુ-કાશ્મીર પ્રશાસને જાહેર કરી છે. સચીવ સીમરન્દીસિંહે જણાવ્યુ છે કે દરરોજ આવી રહેલ યાત્રીઓની સંખ્યા જોતા આ આંકડો ૭ હજાર કરી નખાયો છે. જેથી હવે વધુ લોકો દર્શનનો લાભ લઇ શકશે.

શ્રાઇન બોર્ડ સીઇઓ દ્વારા લેવાયેલ આ નિર્ણયમાં ૭ હજાર યાત્રીઓમાં કેટલે જમ્મુ-કાશ્મીરના છે ચીને કેટલા બહારના છે તેના ઉપર કોઇ ધ્યાને નહિ અપાય. ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં સીનેમા હોલ, કાચી સેન્ટર ખોલવાની પણ અનુમતી અપાઇ છે.

(2:42 pm IST)