Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

બિહારનો ચૂંટણી ચકરાવો : પાસવાનના નિધનથી પ જિલ્લામાં બગડી શકે છે ચૂંટણી ખેલ : જેડીયુને થઇ શકે છે મોટુ નુકશાન

પટના : બિહારમાં વિધાનસભાની કુલ ૪૦ સીટો એસ.સી. અને એસ.ટી. માટે સુરક્ષિત છે. અના પર કયારેય લોજપાનો દબદબો રહ્યો નથી પણ આ વખતે બિહારના સૌથી મોટા દલિત નેતા રામવિલાસ પાસવાન નિધન પછી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ચિરાગ પાસવાનને દલિતોની સાથે જ અન્ય મતદાતાઓના સહાનુભૂતિ મત મળશે.

બિહારના ૩૮ જિલ્લાાંથી પાંચ જિલ્લા એવા છે જયાં ચિરાગને વધુ લાભ મળી શકે છે આ વખતે ચૂટણીમાં ચિરાગને સહાનુભૂતિની  મત મળશે. ચિરાગની પાર્ટી લોજપાએ જડીયુ વિરૂધ્ધ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે જેથી આનુ નુકશાનજ પણ જડીયુ ને થશે. રામવિલાસ પાસવાનના નિધનની મોટી અસર જડીયુને થશે.

(10:23 pm IST)