Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રામજી મંદિર ગોંડલ ખાતે પૂ.હરિચરણદાસજી મહારાજને કોરોના પોઝીટીવ : ભારે ચિંતા : ઓકિસજન ઉપર રાખ્યા

ગોંડલ : લાખો ભાવિકોના શ્રદ્ધૈય પૂજય હરિચરણદાસજી મહારાજ (ઉ.૯૯) ને કોરોના પોઝીટીવ આવેલ છે. તેમને રામજી મંદિર ગોંડલ ખાતે, તેમના રૂમમાં જ ઓકિસજન ઉપર રાખેલ છે. ડોકટરો સતત કાળજી લઈ રહ્યા છે. મહારાજશ્રીના શિષ્ય ભાઈ - બહેનોને વિનંતી કે પોતાના નિવાસે રહી પ્રાર્થના કરે : સીટી સ્કેનમાં તેમને કોરોના હોવાનું બતાવેલ છે : સખત તાવ આવે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેમ જાણવા મળે છે : મહારાજશ્રી ઝડપથી સાજા થઈ જાય તેવી સહુ પ્રાર્થના કરી રહ્યા છે

(5:30 pm IST)