Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર :હવે તમામ જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 50 ટકા કે વધુમાં વધુ 150 લોકોને મંજૂરી: રાત્રી કર્ફ્યુ પણ સવારે 6 વાગ્યા સુધી લંબાવાયો : 12મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે

તમામ પ્રકારના રાજકીય,સામાજિક,શૈક્ષણિક,સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લામાં 150 લોકો અને બંધ સ્થળોએ ક્ષમતાના 50 ટકા અથવા મહત્તમ 150 લોકોને મંજૂરી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

અમદાવાદ : ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર :હવે જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 50 ટકા કે વધુમાં વધુ 150 લોકોને મંજૂરી અપાઈ છે જયારે રાત્રી કર્ફ્યુ પણ સવારે 6 વાગ્યા સુધી લંબાવાયો  છે

તમામ પ્રકારના રાજકીય,સામાજિક,શૈક્ષણિક,સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લામાં 150 લોકો અને બંધ સ્થળોએ ક્ષમતાના 50 ટકા અથવા મહત્તમ 150 લોકોને મંજૂરી અપાઈ છે

આવતીકાલે એટલેકે તારીખ 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે.
 કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
 બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે.
 રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.
 આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે
રાજ્ય સરકાર દ્વારા કોરોના  સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે

(10:31 pm IST)