Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

શ્રીનગરમાં લશ્‍કરના ટોપ કમાંડર સહિત બે પાકિસ્‍તાની આતંકવાદી ઠાર

ગઇકાલે પણ લશ્‍કરનો એક ટોપ કમાંડર મરાયો હતો

જમ્‍મુ તા. ૧૧ :.. શ્રીનગરમાં આજે થયેલ એક જોરદાર અથડામણમાં બે પાકિસ્‍તાની આતંકવાદીઓને ઠાર મરાયા હતાં. મરનારાઓમાં એક લશ્‍કર એ તૈયબાનો ટોપ કમાંડર હતો જે સેન્‍ટ્રલ કાશ્‍મીરમાં એકટીવ હતો. ગઇકાલે પણ લશ્‍કરના એક કમાંડરને મારવામાં સફળતા મળી હતી.
કાશ્‍કીરનાં આઇજી વિજયકુમારે જણાવ્‍યું કે શ્રીનગરમં મુઠભેડમાં માર્યા ગયેલા આતંકવાદીઓ સીઆરપીએફના જવાનો પર હાલમાં જ થયેલા હુમલામાં સામેલ હતાં. તેમણે કહયું કે જે કોઇ આતંકવાદી સુરક્ષાદળો અથવા સામાન્‍ય નાગરીકને નુકસાન પહોંચાડશે તેમનો અંજામ આવો જ આવશે.
માહિતી અનુસાર, વિશંબરનગર વિસ્‍તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળતા જ સુરક્ષા દળોએ આ વિસ્‍તારની ઘેરાબંધી કરી હતી. આ દરમ્‍યાન આંતકવાદીઓ સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ મરાયા હતાં. સુરક્ષા દળોએ તેમની પાસેથી હથીયાર, દારૂગોળા સહિત અન્‍ય આપતિજનક સામાન પણ મળ્‍યો છે. બન્‍ને આતંકીઓ પાકિસ્‍તાનના રહીશ હોવાનું અને લશ્‍કરએ તૈયબા સાથે જોડાયેલ હોવાનું જણાવાઇ રહ્યું છે

 

(3:19 pm IST)