-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
શ્રીનગરમાં લશ્કરના ટોપ કમાંડર સહિત બે પાકિસ્તાની આતંકવાદી ઠાર
ગઇકાલે પણ લશ્કરનો એક ટોપ કમાંડર મરાયો હતો
જમ્મુ તા. ૧૧ :.. શ્રીનગરમાં આજે થયેલ એક જોરદાર અથડામણમાં બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર મરાયા હતાં. મરનારાઓમાં એક લશ્કર એ તૈયબાનો ટોપ કમાંડર હતો જે સેન્ટ્રલ કાશ્મીરમાં એકટીવ હતો. ગઇકાલે પણ લશ્કરના એક કમાંડરને મારવામાં સફળતા મળી હતી.
કાશ્કીરનાં આઇજી વિજયકુમારે જણાવ્યું કે શ્રીનગરમં મુઠભેડમાં માર્યા ગયેલા આતંકવાદીઓ સીઆરપીએફના જવાનો પર હાલમાં જ થયેલા હુમલામાં સામેલ હતાં. તેમણે કહયું કે જે કોઇ આતંકવાદી સુરક્ષાદળો અથવા સામાન્ય નાગરીકને નુકસાન પહોંચાડશે તેમનો અંજામ આવો જ આવશે.
માહિતી અનુસાર, વિશંબરનગર વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળતા જ સુરક્ષા દળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી. આ દરમ્યાન આંતકવાદીઓ સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ મરાયા હતાં. સુરક્ષા દળોએ તેમની પાસેથી હથીયાર, દારૂગોળા સહિત અન્ય આપતિજનક સામાન પણ મળ્યો છે. બન્ને આતંકીઓ પાકિસ્તાનના રહીશ હોવાનું અને લશ્કરએ તૈયબા સાથે જોડાયેલ હોવાનું જણાવાઇ રહ્યું છે