News of Tuesday, 11th May 2021
નાગપુર તા. ૧૧ : કોરોનાની બીજી વેવમાં મેદસ્વીતાને કોમોર્બિડિટી તરીકે ઓળખવામાં આવી છે. બહાર આવી ગયેલું પેટ કોરોનાની ટ્રીટમેન્ટને પણ પડકારજનક બનાવી રહ્યું છે. વધુ વજન ધરાવતા દર્દીઓને સાજા થવામાં પણ વધારે સમય લાગી રહ્યો છે. વળી, ટ્રીટમેન્ટ દરમિયાન તેમને વેન્ટિલેટર પર મૂકવા પડે તેવા ચાન્સ પણ વધારે રહે છે. તેમાંય જે યંગસ્ટર્સની ફાંદ છેલ્લા એક વર્ષમાં વધી છે, તે લોકો પણ મેદસ્વી લોકો જેટલું જ જોખમ ધરાવે છે.
જે લોકો પ્રમાણસર વજન અને સપાટ પેટ ધરાવે છે, તેઓ કોરોનામાંથી જલ્દી સાજાં થાય છે. ડાઙ્ખકટર્સનું કહેવું છે કે કોરોનાનો ત્રીજો વેવ આવવાની શકયતા નકારી શકાય તેમ નથી, તેવામાં લોકો પાસે હજુય પોતાની ફિટનેસ અને ફિઝિકસ સુદ્રઢ બનાવીને કોરોનાની ગંભીર અસરથી પોતાને બચાવવા માટે સમય છે.
નાગપુરના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. ઈમરાન નૂરના જણાવ્યા અનુસાર, મેદસ્વી લોકોમાં પેટના પ્રેશરને કારણે ફેફસાંની કેપેસિટી ઘટી જાય છે. છાતી અને પેટના ફેટને કારણે મેદસ્વી વ્યકિતના ફેફસાં પણ દબાયેલા રહે છે. જે રીતે ફેફસાંને કુદરતી રીતે કામ કરવું જોઈએ તે પણ ખૂબ મુશ્કેલ બની જાય છે. આવા લોકોને લાંબો સમય ઓકિસજન પર રાખવા પડે છે, અને તેમને વેન્ટિલેટરની જરુર પણ પડી શકે છે. તેમને સાજા થવામાં પણ વાર લાગે છે. તેની સામે જો વ્યકિતનું પેટ સપાટ હોય તો તેની રિકવરી ઘણી ફાસ્ટ રહે છે.
ફેફસાંનું એકસપાન્શન કોરોનાના દર્દીઓ માટે ખૂબ જ મહત્વની એકિટવિટી છે. જોકે વધુ વજન ધરાવતા લોકોમાં તે મુશ્કેલ બની જાય છે, અને તેને લીધે જ તેમને રિકવર થવામાં વધારે સમય લાગે છે. વળી, કોવિડના દર્દીઓને શ્વાસ લેવામાં સરળતા રહે તે માટે તેમને પેટના બળે ઊંઘવાની સલાહ અપાતી હોય છે. જોકે, પેટ બહાર આવી ગયેલું હોવાના કારણે આવા લોકો માટે ઊંધા ઊંઘવું પણ શકય નથી હોતું. ઘણા કેસમાં તો તેમની સાઈઝનું ઓકિસજન માસ્ક મેળવવામાં પણ તકલીફ થાય છે.
નાગપુરની કિંગ્સવે હોસ્પિટલના કોવિડ ઈન્ચાર્જ ડો. હર્ષવર્ધન બોરાના જણાવ્યા અનુસાર, પહેલા વેવમાં પણ મેદસ્વીતા યુવાવયના લોકો માટે ચિંતાની વાત હતી જ. લોકડાઉનમાં લોકો ઘરે જ હોવાના કારણે તેમના વજન વધી ગયા હતા. જેટલી કસરત કે ફિઝિકલ એકિટવિટી ઓછી તેટલા જ વજન વધવાના ચાન્સ રહે છે. વધારે વજન ધરાવતા લોકો ટ્રીટમેન્ટને જલ્દી રિસ્પોન્સ નથી આપતા. તેમને હાઈ વેન્ટિલેટર પ્રેશર પર મૂકવા પડે છે. ઘણા કેસમાં વજન વધારે હોવાના કારણે ઊંઘમાં વ્યકિતની શ્વસનક્રિયા સામાન્ય નથી રહેતી. નસકોરા બોલવાના કારણે પણ ઓકિસજનનું લેવલ આ વયજૂથના લોકોમાં અસ્થિર રહે છે.
સેનગુપ્તા હોસ્પિટલના ડિરેકટર ડો. શાંતનું સેનગુપ્તાના જણાવ્યા અનુસાર જે લોકોએ વેકિસન લઈ લીધી છે તેમજ નિયમિત કસરત પણ કરી રહ્યા છે તેમના હોસ્પિટલમાં એડમિટ થવાના ચાન્સ પણ ઓછા છે. તેમણે આશા વ્યકત કરી હતી કે કદાચ ત્રીજો વેવ ના પણ આવે, પરંતુ જો તે આવી પણ જાય તોય લોકોએ પોતાની ફિટનેસ પર રોજના ૧-૨ કલાક તો વિતાવવા જ જોઈએ. વજન વધવાનું કારણ ખાનપાનની ખોટી આદતો પણ છે. પૌષ્ટિક આહાર અને કસરત તેમજ વેકિસનેશન જ ત્રીજા વેવમાંથી તમને બચાવી શકશે.