Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોવિડ-19 રિલીફ ટાસ્ક ફોર્સની રચના કરતાં સોનિયા ગાંધી: વિરોધ વંટોળ સર્જનાર જી-૨૩ જૂથના ગુલામ નબી આઝાદ ચેરમેન: ઉપરાંત પ્રિયંકા ગાંધી, સુરજેવાલા, જયરામ રમેશ સહિત ૧૩નો સમાવેશ

તાકિદની અસરથી કોંગ્રેસ પક્ષની રાહત કામગીરીનું સંકલન કરવા માટે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ૧૩ સભ્યોનાં કોવિડ-19 રિલીફ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં સર્વ શ્રી ગુલામ નબી આઝાદ ચેરમેન બન્યા છે. સભ્યોમાં અંબિકા સોની, મુકુલ વાસનિક, પવન કુમાર બંસલ, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે સી વેણુગોપાલ, જયરામ રમેશ, રણદીપ સિંઘ સુરજેવાલા, મનીષ છત્રાર્થ, ડો. અજય કુમાર, પવન ખેરા, ગુરદીપ સિંહ ચપ્પલ અને બી વી શ્રીનિવાસનો સમાવેશ થાય છે

(10:19 pm IST)