Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજીવ કપુરની ચોથાની વિધી નહીં યોજાય : પરિવારની જાહેરાત

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી

મુંબઇ,તા.૧૨: કોરોના વાયરસના કારણે સુરક્ષાના લીધે. અભિનેતા -નિર્દેશક રાજીવ કપુરના ચૌથાની વિધી નહીં યોજી હોવાનું કપુર પરિવારે જણાવ્યું છે.

રાજકપુરના સૌથી નાના પુત્ર રાજીવનું ૫૮ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી મંગળવારે અવસાન થયેલ. પરિવારે નિવેદનમાં કહેલ કે સુરક્ષાના કારણોથી રાજીવની ચૌથા વિધી આયોજીત કરાઇ નથી.રાજીવ કપૂર, રણધીર કપુર, રૂષી કપુર, ઋતુ નંદા અને રીના જૈનની નાના હતા. જેમાં ઋતુ નંદા અને રૂષી કપુરનું ગત વર્ષ જાન્યુઆરી અને એપ્રિલમાં નિધન થયું હતું.

(3:09 pm IST)