Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ખાસ ભુપેન્દ્રભાઈ પટેલ : ઘાટલોડિયાથી મોટા માર્જીનથી ચૂંટણી જીત્યા

પાટીદારોમાં પ્રવર્તતી પરિસ્થિતિને શાંત પાડવામાં તેઓ સમર્થ પુરવાર થશે?

અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રીપદે  નિમણૂક પામેલા ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી અને યુ.પી.ના ગર્વનર આનંદીબેન પટેલના ખાસ ગણાય છે. તેઓ આનંદીબેનના મત વિસ્તાર ઘાટલોડિયામાંથી જ ચૂંટણી લડ્યા હતા. તે પણ આનંદીબેનના ખાસ હોવાના કારણે ટિકિટ આપવામાં આવી હતી અને ઘાટલોડિયામાં પાટીદારોની સંખ્યા પણ વધુ છે.

બિલ્ડર એવા ભુપેન્દ્ર પટેલ સ્વભાવે સરળ અને શાંત સ્વભાવના છે. ભુપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પણ રહ્યા હતા.

આનંદીબેન પટેલ ઘાટલોડિયા મત વિસ્તારમાંથી વિજેતા થયા હતા. ત્યારબાદ ભુપેન્દ્ર પટેલ પટેલ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા એટલું જ નહીં ભારે માર્જીનથી જીત્યા હતા. પાટીદારોમાં તેઓ સન્માનલાયક છે. હાલમાં પાટીદારોમાં પ્રવર્તતી પરિસ્થિતિને શાંત પાડવામાં તેઓ સમર્થ પુરવાર થશે તેને ધ્યાનમાં લઈને તેમને મુકવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા જ સૌ કોઈએ તેમને હાથ ઊંચા કરીને આવકાર્યા હતા.

(6:56 pm IST)