Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

૩૦ વર્ષ પછી અચાનક જ ફરીવાર ઝરણું વહેવા લાગ્યું

મહાભારત કાળ સાથે સંબંધ છે : કહેવાય છે કે જ્યારે પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ શહેરની સ્થાપના કરી ત્યારે પોતાના તપોબળથી આ ઝરણું પ્રગટ કર્યું હતું

ફરિદાબાદ,તા.૧૨ : અરવલ્લી પર્વતમાળાઓના સુંદર પ્રદેશમાં વસેલું ગામ મોહબતાબાદનું ઝરણું આ દિવસોમાં ફરી એકવાર ચર્ચામાં છે. ખાણકામ અને ઓછા વરસાદને કારણે, તેનો કુદરતી સ્રોત ૩૦ વર્ષ પહેલા સુકાઈ ગયો હતો, પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદને કારણે, આ ધોધ ફરી એકવાર તેના જૂના સ્વરૂપમાં પાછો ફર્યો છે, જે તેને ખૂબ જ મનોહર દૃશ્ય આપે છે.

ગ્રામીણો જયકિશન, લલિત ભારદ્વાજ અને રાજપાલ સિંહે જણાવ્યું કે અરવલ્લી પર્વતમાળાના સુંદર પ્રદેશમાં આવેલા ગામ મહોબતાબાદ ફરીદાબાદમાં મહાભારત કાળનો ધોધ આવેલો છે. એવું કહેવાય છે કે જ્યારે પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ નગરીની સ્થાપના કરી હતી, ત્યારે તેઓએ પોતાની તપસ્યાથી આ જર્જરિત અને નિર્જન અરવલ્લી પર્વત પર ઘણા ઝરણા પ્રગટ કર્યા હતા. તેમાંથી મોહબતાબાદ ગામમાં સ્થિત ધોધ પણ સામેલ છે. આ સ્થળ ઉદયાલક મુનિની તપોભૂમિ પણ છે. જે ગુફામાં તેઓ તપસ્યા કરતા હતા, તે ગુફા આજે પણ ત્યાં છે અને તેમની મૂર્તિ પણ ગુફામાં સ્થાપિત છે. જેની પૂજા લોકો કરે છે, તે જ ગુફામાં એક ખૂબ જ વિશાળ ખડક છે, જે કોઈ પણ આધાર વગર અટકી રહ્યો છે.

       આ સ્થળ પણ આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાચીન કાળથી અને ૩૦ વર્ષ પહેલા સુધી આ પ્રાચીન ઝરણું આખું વર્ષ સતત વહેતું હતું અને અરવલ્લી પર્વત પર આવેલા ૭ કુંડમાંથી તેમાં આખું વર્ષ પાણી સતત વહેતું રહેતું હતું અને ઝરણાંની નીચે એક કુંડ છે જેમાં લોકો સ્નાન કરતાં હતાં. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારમાં વધુ પડતા ખાણકામ અને ઓછા વરસાદને કારણે ઝરણાંનો કુદરતી સ્ત્રોત સુકાઈ ગયો હતો, જોકે છેલ્લા કેટલાક દિવસોથી સારા વરસાદને કારણે ઝરણું ફરી એકવાર તેના જૂના સ્વરૂપમાં આવી ગયું છે અને ખૂબ જ મનોહર નજારો રજૂ કરી રહ્યું છે.

           લોકો તેને જોવા માટે આવી રહ્યા છે. થોડા વર્ષો પહેલા ગ્રામજનોએ બાબા મોહન દાસના નામે એક સમિતિની રચના કરી અને સમિતિએ મંદિરનું સમારકામ કરાવ્યું, તેમજ ઘણા મંદિરો બનાવવામાં આવ્યા અને કુંડનું નિર્માણ કરવામાં આવ્યું. બાબા મોહનદાસે અહીં તપસ્યા કરી હતી જેથી દર વર્ષે ગામના લોકો બાબા મોહનદાસની વર્ષી પર ભંડારાનું આયોજન કરે છે. આ સ્થળ આસપાસના ગામોમાં મોટી આસ્થાનું પ્રતિક મનાય છે. આ જગ્યા ત્રણ બાજુથી અરવલ્લીની ટેકરીઓથી ઘેરાયેલી છે. અહીં પહોંચ્યા બાદ મનને ઘણી શાંતિ અને ખુશી મળે છે. અહીં વાંદરાઓ અને લંગુરો મોટી સંખ્યામાં જોવા છે. ચારે બાજુ કુદરતી સૌંદર્ય અને ભક્તિનું વાતાવરણ છે.

(7:26 pm IST)