Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

હિમાચલઃ ઉનામાં થાંભલા સાથે કાર ધડાકાભેર અથડાતા 5 લોકોના મોતઃ પંજાબના નંબર પ્‍લેટ વાળી કાર થાંભલા સાથે ભટકાયા બાદ ખેતરમાં પલ્‍ટી મારી ગઇ હતી

નવી દિલ્‍હીઃ હિમાચલના ઉનામાં ભીષણ રોડ અકસ્માત થયો છે. આ રોડ અકસ્માતમાં 5 યુવકોના કરુણ મોત થયા છે. ઘટના સદન થાના ઉના અંતર્ગત આવતા કુઠાર કલામાં થઈ છે. મૃતકોની ઓળખાણ કુલદીપ જસવાલ અને અમલ પુત્ર નંદ લાલ બંને નિવાસી સલોહ, વિશાલ ચૌધરી ઉર્ફ અમનદીપ પુત્ર વલદેવ સિંહ નિવાસી મઝારા, સિમરન જીત સિંહ પુત્ર દર્શન સિંહ નિવાસી હાઝીપુર તાલુકો નંગર જિલ્લો રુપનગર પંજાબ તથા અનૂપ સિંહ પુત્ર જનક રાજ નિવાસી ઝલેડા તરીકે થઈ છે.

પોલીસે તમામ લાશ કબ્જામાં લઈ તપાસ શરુ કરી છે. જાણકારી અનુસાર શનિ રવિવારે મધ્યરાત્રિએ સંતોષગઢથી ઉના જઈ રહેલી પંજાબ નંબરની કાર કુઠાર પહોંચતા રોડ કિનારે આવેલા થાંભલા સાથે ટકરાયા બાદ ખેતરમાં પલ્ટી ખાઈ ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને કારની સીધી કરી હતી. આ દુર્ઘટનામાં સહોલ નિવાસી રાજન જસવાલ અને અમલનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે ઘાયલ કાર ચાલક વિશાલ ચૌધરી અને સિમરન જીત સિંહ તથા અનૂપ સિંહ ઉના હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

એસપી ઉના અર્જિત સેને જણાવ્યું હતું કે, પોલીસે તમામ લાશ કબ્જામાં લઈ પરિવારને સૂચના આપી હતી. આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ મૃતકોના પરિવારમાં માતમ છવાયો છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

(12:00 am IST)