Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વિશાખાપટ્ટનમમાં ટુરિસ્ટ બસ ખીણમાં ખાબકી : 8 યાત્રીઓના મોત : 10થી વધુ મુસાફરો ઘાયલ

અરકુ ખીણ તરફના સાંકડા રસ્તા પર અનંતગીરી ગામ નજીક બસ ડમુકુ વળાંક તરફ જતા અકસ્માત

વિશાખાપટ્ટનમ : આજે શુક્રવારે સાંજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના અરકુ ઘાટ માર્ગ પર ટૂરિસ્ટ બસ ખીણમાં ખાબકતા બસમાં સવાર આઠ યાત્રીઓના મોત નીપજ્યાં હતાં અને 10થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે અરકુ ખીણ તરફ જવાના સાંકડા રસ્તા પર અનંતગીરી ગામ નજીક બસ ડમુકુ વળાંક તરફ જતી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી 

(12:55 am IST)