Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

હિમાચલમાં ભીષણ અગ્નિકાંડઃ એક જ પરિવારના ૩ બાળકો સહિત ૪ લોકો જીવતા ભૂંજાયા

નવી દિલ્હીઃ તા.૧૪: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં અગ્નિકાંડ થયું છે.  અહીં એક જ પરિવારના ૩ બાળકો સહિત ૪ લોકો જીવતા સળગી ગયા છે. જયારે મહિલા ઘાયલ છે, જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ચંબા પોલીસ કન્ટ્રોલ રુમ તરફથી ઘટનાની ખરાઈ કરવામાં આવી છે.

જાણકારી અનુસાર ચંબાના તીસા ઉપમંડળ હેઠળ જુંગરાના કરાતોશ ગામની આ ઘટના છે. અડધી રાતે ઘરમાં અચાનક આગ ભડકી ગઈ. આ ભયંકર અગ્રિકાંડમાં પરિવારના ચાર સભ્યોના મોત થઈ ગયા છે. જેમાં પિતા ઉપરાંત ૩ બાળકો સામેલ છે. દોઢ, ચાર તથા ૬ વર્ષના બાળકોના મોત થઈ ગયા છે. મહિલાઓ ઘાયલ છે. જે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.

પોલીસ કંટ્રોલ રુમ ચંબા અનુસાર, મંગળવારે સવારે ત્રણ વાગ્યાની આ ઘટના છે. અગ્રિકાંડમાં મુહમ્મદ રફી(૨૬), તેના બાળકો જૈતૂન (૦૬), સમીર(૦૪) અને જુલેખા(૦૨)ની સળગીને મૌત થયા છે. આ ઉપરાંત તે થુના પત્ની મુહમ્મદ રફી ઘાયલ છે. આગ લાગવાના કારણો હજું જાણી શકાયા નથી. પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે અને ઘટનાની તપાસ કરી રહી છે.

(3:36 pm IST)