Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જમ્મુના પુલવામાં આતંકવાદીઓના ગ્રેનેડ હુમલામાં ૩ વ્યકિતઓને ઇજા

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ૧૪: જમ્મુ કાશ્મીરના પુલવાના મુખ્ય ચોકમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં ૩ વ્યકિતઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા છે.

આ હુમલામાં ર સ્થાનીક અને એક પ્રવાસી નાગરીકને ઇજા થઇ હતી. જમ્મુ કાશ્મીરના પોલીસવડા દિલબાગસિંહે કહ્યું કે, આતંકીઓ ઓવર ગ્રાઉન્ડર વર્કરોના સહારો લઇને હુમલા કરે છે.

(4:09 pm IST)