Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૫૮

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

કલ્‍પના

‘‘કલ્‍પના એક કામ કરી શકે છે તે સ્‍વર્ગ પણ ઉત્‍પન્ન કરી શકે છે અને નર્ક પણ કલ્‍પના સાતત્‍ય પૂર્ણ છે તે ેવિરોધાભાસી ના બની શકે''

કલ્‍પના ખૂબજ તર્કબધ્‍ધ છે અને વાસ્‍તવિકતા અતાર્કિક છે જયારે વાસ્‍તવીકતા સામે આવે છે. તેમા બંને ઘટનાઓ હશે. વાસ્‍તવીકતાનો આ એક માપદંડ છે. જો તેમાં બંને પ્રકારની ઘટનાઓ ના હોય તો તે મન દ્વારા સર્જીત છે., વાસ્‍તવીકતા નથી.

મન સલામતીમા રહે છ.ે અને હમેશા સાતત્‍યપૂર્ણ ઘટનાઓ ઉત્‍પન્‍ન કરે છે જીવન પોતાનામા જ એક અસાત્‍યપૂર્ણ અને વિરોધાભાષી છે હોવુ જ જોઇએ. વિરોધાભાસથી જ તેનું અસ્‍તીત્‍વ છે મૃત્‍યુથી જ જીવનનું સર્જન થાય છે તેથી જયારે તમે ખૂબજ જીવંત હશો ત્‍યારે તમે મૃત્‍યુનો પણ અનુભવ કરશો ખૂબજ આનંદની ક્ષણ ખૂબ જ ઉદાસીની ક્ષણ પણ હશે આમ જ હોવું જોઇએ.

તેથી હમેશા આ યાદ રાખો જયારે પણ તમને વિરોધાભાસી અનુભવ થાય બે વસ્‍તુઓ જે એકબીજા સાથે ના રહી શકે જેઓ એક બીજાથી બીલકુલ વિરૂધ્‍ધ દિશામાં છે તેઓ વાસ્‍તવીક છે તમે તેઓની કલ્‍પના ના કરી શકો કલ્‍પના કયારેય અતાર્કીક થઇ શકતી નથી.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:43 am IST)