નવી દિલ્હી, તા.૧૬: ભારતના વડાપ્રધાન મોદીને જયાં દેશની અંદર વિપક્ષોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ દુનિયાભરના દેશો તેમના વખાણ કરતા થાકતા જ નથી. વિશ્વભરમાં મંદીની એક અલગ ઓળખ છે જે કારણે તેમને ‘ગ્લોબલ લીડર' ગણવામાં આવે છે. આ જ કારણ છે કે હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ પીએમ મોદીના ભરપુર વખાણ બીજા કોઇએ નહિ પણ મીડિયાએ કર્યા છે પાકિસ્તાન મીડીયાએ લખ્યુ - છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતનો વૈશ્વિક મંચ ઉપર પ્રભાવ વધ્યો છે જે પ્રંશંસનીય છે.
પાકિસ્તાન આ સમયે ભૂખમરાની આરે પહોંચી ગયું છે. દેશના વડા-ધાને પણ સ્વીકાર્યું છે કે પાકિસ્તાન ભીખ માંગવા મજબૂર છે. ડૂબતી અર્થવ્યવસ્થા બાદ સમગ્ર પાકિસ્તાનમાં લોકો શહેબાઝ શરીફ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. તે જ સમયે, પાકિસ્તાનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રશંસાની ગાથાવાંચવામાં આવી રહી છે. પાકિસ્તાની અખબારમાં પીએમ મોદીના કાર્યોના વખાણ કરવા માટે પુલ બનાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ભારત હાલમાં એક સારા નેતાના હાથમાં છે.
પહેલીવાર ભારત અને ભારતના વડાપ્રધાનના વખાણ કરતા પાકિસ્તાનના એક અખબારમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીએ ભારતને એવી ઊંચાઈ પર લઈ ગયા છે જ્યાંથી દેશ પોતાનો પ્રભાવ ફેલાવી શકે છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. પાકિસ્તાની અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં લખ્યું છે કે, પીએમ મોદીના નેતળત્વના કારણે જ ભારતની વિદેશ નીતિમાં સુધારો થયો છે અને દેશની GDP $3 ટ્રિલિયનને પાર કરી ગઈ છે.ૅ
જાણીતા રાજકીય, સુરક્ષા અને સંરક્ષણ વિશ્લેષક શહઝાદ ચૌધરીએ તેને ‘સ્મારક વિકાસ' ગણાવીને ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'માં લખ્યું છે કે, ભારત આ સમયે તમામ રોકાણકારો માટે પ્રિય સ્થળ બની ગયું છે. તેમણે લેખમાં ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે PM મોદીની અધ્યક્ષતામાં ભારતે વિદેશ નીતિના મોરચે પોતાનું અલગ ક્ષેત્ર સ્થાપિત કર્યું છે, એટલે કે બદલાતા સમયમાં પણ ભારતે વૈશ્વિક સ્તરે પોતાનો પ્રભાવ વધાર્યો છે. વૈશ્વિક મંચો પર ભારતની સ્વીકળતિ વધી છે. વિદેશ નીતિના મામલે ભારતની સર્વોપરિતા વધી છે.
ભારત એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ અને આઈટી ઈન્ડસ્ટ્રીનું મોટું હબ રહ્યું છે. આ લેખમાં લખવામાં આવ્યું છે કે કળષિ ક્ષેત્રે, ભારતની પ્રતિ એકર ઉપજ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે અને ૧.૪ અબજની વસ્તી હોવા છતાં, ભારતમાં પ્રમાણમાં સ્થિર, સુસંગત અને કાર્યકારી રાજનીતિ છે.
આંકડાઓને ટાંકીને શહઝાદ ચૌધરીએ તેમના લેખમાં કહ્યું કે ભારતની નરેન્દ્ર મોદી સરકાર સમયની કસોટી પર ખરી ઉતરી છે. તેમણે લખ્યું, મોદીએ ભારતને એક બ્રાન્ડ બનાવવા માટે એવા કામ કર્યા છે, જે તેમના પહેલા કોઈ કરી શકયું નથી. ખાસ વાત એ છે કે ભારતને જે ગમે છે અને જે જોઈએ છે તે કરે છે.
નવેમ્બર મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી હતી અને તેને સંપૂર્ણ સ્વતંત્ર ગણાવી હતી.વિદેશ નીતિ અલગ છે, કારણ કે અમેરિકાના વિરોધ છતાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણય પર અડગ છે.
ઑક્ટોબર ૨૦૨૨ માં પણ, ઇમરાન ખાને ભારતની વિદેશ નીતિના વખાણ કરતાં કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી પોતાની મરજીથી તેલ ખરીદવા સક્ષમ હતું, જ્યારે પાકિસ્તાન પશ્ચિમનું ગુલામ હતું કારણ કે તે તેના લોકોના કલ્યાણ માટે નિર્ભય નિર્ણયો લેવામાં અસમર્થ હતું.
પહેલીવાર પાકિસ્તાન મીડિયાએ વડા-ધાન નરેન્દ્ર મોદીના નેતળત્વમાં વૈશ્વિક મંચ પર ભારતના વધતા પ્રભાવની પ્રશંસા કરી છે. પાકિસ્તાનના અગ્રણી દૈનિક ધી એક્સપ્રેસ ટ્રિબ્યુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતળત્વમાં વિશ્વ મંચ પર ભારતના વધતા વૈશ્વિક કદની પ્રશંસા કરી છે.
અગ્રણી પાકિસ્તાની દૈનિકમાં ઓપ-એડ કોલમ વધુમાં જણાવે છે કે ભારતની વિદેશ નીતિ પીએમ મોદીના નેતળત્વમાં અસરકારક રીતે ચલાવવામાં આવી છે અને તેની જીડીપી ત્રણ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં જાણીતા રાજકીય, સુરક્ષા અને સંરક્ષણ વિશ્લેષક શહઝાદ ચૌધરીએ આને એક સ્મારક વિકાસ ગણાવ્યો હતો. તેમણે ભારતને તમામ રોકાણકારો માટે પસંદગીનું સ્થળ ગણાવ્યું હતું.
શહઝાદ ચૌધરીએ વધુમાં પુનરોચ્ચાર કર્યો હતો કે પીએમ મોદીની અધ્યક્ષતામાં ભારતે વિદેશ નીતિના મોરચે તેનું પોતાનું ક્ષેત્ર સ્થાપિત કર્યું છે. ભારત કળષિ ઉત્પાદનો અને આઈટી ઉદ્યોગનું પણ મુખ્ય ઉત્પાદક છે.
ચૌધરીએ તેમની કૉલમમાં જણાવ્યું હતું કે, ખેતીમાં તેમની પ્રતિ એકર ઉપજ વિશ્વમાં શ્રેષ્ઠ છે અને ૧.૪ બિલિયનથી વધુ લોકોનો દેશ હોવા છતાં તે પ્રમાણમાં સ્થિર, સુસંગત અને કાર્યાત્મક રહી છે.
આંકડાઓને ટાંકીને શહઝાદ ચૌધરીએ કહ્યું કે ભારતની શાસન પ્રણાલી સમયની કસોટી પર ખરી ઉતરી છે અને એક મજબૂત લોકશાહી સાબિત થઈ છે. તેમણે લખ્યું, ઁમોદીએ ભારતને એક બ્રાન્ડ બનાવવા માટે કંઈક કર્યું જે તેમના પહેલા કોઈ કરી શકયું ન હતું. મહત્ત્વની બાબત એ છે કે ભારત જે અનુભવે છે તે કરે છે અને તે જરૂરી છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા છે
અગાઉ નવેમ્બરમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિને સ્વતંત્ર ગણાવી હતી. પીટીઆઈના વડાએ કહ્યું હતું કે દેશને પાકિસ્તાન સાથે આઝાદી મળી હોવા છતાં, તેમની વિદેશ નીતિ સ્વતંત્ર છે કારણ કે અમેરિકાના વિરોધ છતાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણય પર અડગ છે.