Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

ધીમા તાપે માટીની તાવડીમાં શેકેલી રોટલી પેટની ગંભીર બીમારથી બચાવી શકેઃ માટીના વાસણમાં આ બનાવેલું ભોજન સુપાચ્ય

આયુર્વેદ અનુસાર માટીના વાસણમાં બનાવેલું ભોજન સવાસ્થ્ય માટે ખુબ ફાયદા કારણ

જો તમે કબજિયાત અને પેટમાં ગેસની ગંભીર સમસ્યાથી પીડાવો છો તો બદલી નાખો આ આદત. ઘરમાં લોખંડની તવીની જગ્યાએ કરો માટીની તવીનો ઉપયોગ. થઈ જશે આપોઆપ અનેક ગંભીર બીમારીઓ દૂર...

સમયની સાથે સાથે આપણી આદતોમાં પણ અનેક પ્રકારના પરિવર્તન આવ્યા છે. હવે અહીં જ જોઈ લો. પહેલાના લોકો માટીના તવા પર રોટલી શેકતા હતાં પરંતુ ધીમે ધીમે સ્ટીલ, એલ્યુમિનિયમ, લોખંડ અને હવે નોન સ્ટીક તવાનો ઉપયોગ થવા લાગ્યો છે. સમય બચાવવા માટે ધાતુના તવા ભલે ફાયદાકારક હોય પરંતુ યાદ રાખો તેનાથી તમારુ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તેનાથી સારુ એ છે કે તમે માટીના તવા પર રોટલી શેકવાનું શરુ કરી દો, બીમારીઓથી બચવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

આયુર્વેદ અનુસાર માટીના વાસણમાં બનાવેલુ જમવાથી અનેક બીમારીઓથી દૂર રહેવાય છે. માટીના વાસણાં બનેલુ જમવાનું ના માત્ર સ્વાદિષ્ટ હોય છે પરંતુ જમવાનું 100 ટકા પૌષ્ટિક પણ હોય છે. આ વાસણોમાં જમવાનુ બનાવવાથી તેના પોષણ તત્વો નષ્ટ થતા નથી. તે સિવાય માટીના તવા પર બનેલી રોટલીથી ના માત્ર પાચન સ્વસ્થ થાય છે પરંતુ તમે અનેક બીમારીઓથી પણ બચી શકો છો. તો આવો જાણીએ માટીના વાસણમાં બનાવેલી રોટલી ખાવાના બીજા અન્ય ફાયદા.

બહારનું વધુ પડતું જમવાનું આજકાલના લોકોમાં કબજિયાતનું કારણ બની ગયુ છે. આ સમસમ્યાથી રાહત મેળવવા માટે માટીના તવામાં બનાવેલી રોટલીને પોતાના ડાયટમાં સામેલ કરો.

એક જગ્યાએ બેસીને કલાકો સુધી કામ કરવાના કારણે અનેક લોકોને ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો રોટલીને લોખંડ અથવા નોન સ્ટીક તવાની જગ્યાએ માટીના તવા પર બનાવીને જમો. પેટના ગેસની સમસ્યાથી તમને જલદી રાહત મળશે.

પાઈલ્સ થવાથી અનેક પ્રકારના ખાદ્ય પદાર્થ પર પ્રતિબંધ મૂકાઈ જાય છે. જો તમે રોટલી માટીની તવીમાં બનેલી જમશો તો પાઈલ્સથી જલદી રાહત મળશે.

માટીના તવામાં બનેલી રોટલી માટીના પોષક તત્વોથી ભરપૂર હોય છે અને રોટલીની પૌષ્ટિકતા પણ અનેક ગણી વધી જાય છે. તેમાં હાજર પ્રોટીન બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે.

જાણકારોના અનુસાર માટીના તવામાં રોટલી શેકવાથી રોટલીના પોષકતત્વો નષ્ટ થતા નથી. જ્યારે કે એલ્યુમિનિયમના વાસણમાં રોટલી બનાવવાથી 87 ટકા, પિત્તળના તવા પર 7 ટકા અને કાંસાના તવા પર 3 ટકા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. 100 ટકા પોષક તત્વ માત્ર માટીના વાસણમાં બનેલા ભોજનમાં જ હાજર રહે છે.

1) માટીના તવામાં ક્યારેય વધુ આગમાં રોટલી ના શેકો, આવુ કરવાથી તવી પણ ફાટી શકે  છે.
2) આ તવીનો ઉપયોગ કરતા પહેલા તેના પર પાણી લગાવી દેવું જોઈએ.
3) ઉપયોગ પછી તવાને રૂમના તાપમાન મુજબ થવા દો અને થોડી વાર માટે પાણીમાં પણ પલાળી દો.
4) માટીના વાસણને ક્યારેય સાબુથી ના ધોવો, આવું કરવાથી આ સાબુને શોષી લેશે.
5) માટીના તવાને સાફ કરવા માટે ચોખ્ખા કપડાનો ઉપયોગ કરો.

બદલતી જીવનશૈલીમાં વ્યસ્તતા એટલી બધી વધી ગઈ છે કે કોઈને પાસે ધીમે ધીમે રોટલી બનાવવાનો ટાઈમ નથી. પરંતુ પોતાના સ્વાસ્થ્ય માટે અઠવાડિયામાં એક વખત તો માટીની તવી પર બનેલી રોટલી જરૂર જમવી જોઈએ. તેનાથી ના માત્ર તમારુ પણ આખા પરિવારનું સ્વાસ્થ્ય પણ સુધરશે. 

(5:38 pm IST)