Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

શોપિયાંમાં ગોળી મારીને કાશ્મીરી હિંદુની હત્યા કરાઈ

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના કારણે ડરનો માહોલ : શોપિયાંમાં એક સફરજનના બગીચામાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરાતા કાશ્મીરી હિન્દુ ભોગ બન્યો

શ્રીનગર, તા.૧૬ : કાશ્મીરમાં પહેલાથી જ ટાર્ગેટ કિલિંગના કારણે ડરનો માહોલ છે. ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ૧ કાશ્મીરી હિંદુની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટના સાથે ફરી કાશ્મીરી હિંદુઓએ સરકારને સુરક્ષા માટે અપીલ કરી છે.

આ ઘટનાને લઇને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, શોપિયાંમાં એક સફરજનના બગીચામાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ૧ નાગરિકનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. ટાર્ગેટ કિલિંગનો ભોગ બનનારા આ બંને કાશ્મીરી હિંદુ  છે.

થોડા સમયથી કાશ્મીરી હિંદુઓની ટાર્ગેટ બનાવીને હત્યા પર ઘણી રાજનીતિ પણ થઈ છે. મોટાભાગના પક્ષો આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતા જોવા મળી રહ્યા છે.

કાશ્મીર પોલીસે  આ અંગે ટ્વીટ કર્યું કે , *શોપિયનના ચોટીપોરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર થયો હતો, જેમા ૧ વ્યક્તિનું મોત અને ૧ ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બંને વ્યક્તિ લઘુમતી સમુદાયના છે.

 

(7:26 pm IST)