Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કાલે નરેન્દ્રભાઈના જન્મદિને દેશભરમાં એક જ દિવસમાં દોઢ કરોડ લોકોને કોરોના રસી આપવાનો લક્ષ્યાંકઃ નવો વિક્રમ સર્જાશે

રાજકોટ, તા. ૧૬ :. આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ છે. તે નિમિત્તે એક જ દિવસમાં દોઢ કરોડ લોકોને રસી આપવાનો નવો વિક્રમ સર્જવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.

કાલે રાજ્યમાં મેગા વેકસીનેશન કેમ્પ યોજાશે. જેમાં ૩૫ લાખથી વધુ લોકોને કોરોના રસી આપવાનું આયોજન કરાયુ છે. આ ડ્રાઈવ દરમિયાન ૭૫૦૦ ગામમાં ૧૦૦ ટકા રસીકરણનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.

(4:00 pm IST)