Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

બંગાળના મુર્શિદાબાદના રેજીનગરમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો અને બૉમ્બ ધડાકા

શક્તિપુર સ્કૂલથી નીકળેલી શોભાયાત્રા દરમિયાન બૉમ્બ ફેંકાયા : અનેક લોકો ઘાયલ : મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત : ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે મમતા બેનર્જીની સરકાર રામ નવમી શોભા યાત્રાને સુરક્ષા આપવામાં ફરી નિષ્ફળ રહી છે.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના રેજીનગરમાં રામ નવમીના શોભાયાત્રામાં પથ્થરમારો અને બોમ્બ ધડાકાની ઘટના બની છે. ભાજપનો આરોપ છે કે મુર્શિદાબાદના રેજીનગરમાં રામ નવમી શોભા યાત્રા દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. શક્તિપુર સ્કૂલથી શરૂ થયેલી શોભા યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વીટ કરીને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે.

બોમ્બ વિસ્ફોટ અને પથ્થરમારાની ઘટનાઓને જોતા આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

(9:18 pm IST)