Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા : ગઈકાલ રવિવારથી ખુલ્લા મુકાયેલા મંદિરમાં 5 દિવસ સુધી પૂજા અર્ચના થશે : કોવિદ -19 ના કારણે ભક્તો માટે પ્રવેશ નિષેધ

કેરળ : કેરળના સુવિખ્યાત તથા મહિલાઓના પ્રવેશ બાબતે વિવાદમાં આવી ચૂકેલા સબરીમાલા મંદિરના કપાટ ગઈકાલ રવિવારે ખુલ્લા મુકાયા છે.મંદિરમાં 5 દિવસ સુધી પૂજા અર્ચના થશે પરંતુ કોવિદ -19 ના કારણે ભક્તો માટે પ્રવેશ નિષેધ રાખવામાં આવ્યો હોવાથી તેઓ ભગવાન અયપ્પાના દર્શનનો લાભ નહીં લઇ શકે.મંદિરના પુજારીઓ પૂજા તથા અર્ચના કરશે.
મંદિરનું સંચાલન સાંભળતા ત્રાવણકોર દેવસ્વઃ બોર્ડ દ્વારા જણાવાયા મુજબ મંદિરમાં 21 ઓગસ્ટ સુધી પુજારીઓ દ્વારા પૂજા તથા અર્ચના કરાશે
બાદમાં આગામી 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન પણ પૂજા અર્ચના માટે મંદિર ખોલવામાં આવશે .

(1:01 pm IST)