Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કાલથી ચારરધામ યાત્રાનો થશે પ્રારંભ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનું એલાન

હાઇકોર્ટે કેટલાક પ્રતિબંધો સાથે ચાર ધામ યાત્રાને મંજૂરી આપી

ઉત્તરાખંડમાં લાંબા સમયથી બંધ થયેલી ચારધામ યાત્રા 18 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે કહ્યું છે કે ચારધામ યાત્રા 18 સપ્ટેમ્બરથી શરૂ થશે

 ચારધામ યાત્રામાં આવતા જિલ્લાઓમાં સારી આરોગ્ય સુવિધાઓનો અભાવ અને કોવિડ રોગચાળાના ત્રીજા મોજાના ખતરાને જોતા હાઈકોર્ટે 28 જૂને ચારધામ યાત્રા પર પ્રતિબંધ મુક્યો હતો. જે બાદ ગુરુવારે યોજાયેલી મહત્વની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કેટલાક પ્રતિબંધો સાથે ચાર ધામ યાત્રાને મંજૂરી આપી હતી. ચીફ જસ્ટિસની ડિવિઝન બેંચે બદ્રીનાથ ધામમાં 1200, કેદારનાથ ધામમાં 800, ગંગોત્રીમાં 600 અને યમનોત્રી ધામમાં 400 ભક્તો અથવા યાત્રીઓને મંજૂરી આપી છે. આ ઉપરાંત, કોર્ટે દરેક ભક્તને કોવિડ નેગેટિવ રિપોર્ટ અને બે રસીનું પ્રમાણપત્ર સાથે રાખવા પણ કહ્યું છે.

આ ઉપરાંત, હાઇકોર્ટે તેના આદેશમાં ચમોલી, રૂદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લાઓમાં યોજાનારી ચારધામ યાત્રા દરમિયાન જરૂરિયાત મુજબ પોલીસ દળ તૈનાત કરવા જણાવ્યું છે. આ સિવાય ભક્તો કોઈપણ કુંડમાં સ્નાન કરી શકશે નહીં.

(1:18 pm IST)