Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

અવંતીપોરા વિસ્તારમાં બસ પલટી જતાં ચાર લોકોના મોત

પુલવામાં જિલ્લાના અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર એક બસ પલટી ગઈ

જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક બસ પલટી જતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર એક બસ પલટી ગઈ, જેમાં ઘણા મુસાફરો ઘાયલ પણ થયા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જો કે તેમાંથી ત્રણનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું

(12:19 am IST)