Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

૧૦ વર્ષમાં દરેક લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો , ચૂંટણીએ ઉજવળ ભવિષ્ય સાથે જોડવાનો અવસર : નરેન્દ્રભાઈ મોદી

વડાપ્રધાને એનડીએના ઉમેદવારોને પત્ર લખીને સંદેશ આપ્યો

નવી દિલ્હી તા.૧૮ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એનડીએના ઉમેદવારોને પત્ર લખીને સંદેશ આપ્યો છે કે, છેલ્લા દસ વર્ષમાં દરેક વર્ગના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે તેમ છતાં હજુ ઘણું કરવાનું બાકી છે આ ચૂંટણી આપણા વર્તમાનને ઉજવળ ભવિષ્ય સાથે જોડવાનો એક અવસર છે.

 લોકસભા ચૂંટણી 2024 નું પ્રથમ ચરણનું 21 રાજ્યનું 102 બેઠક ઉપરનું મતદાન કાલે શુક્રવારે થશે.

(4:22 pm IST)