Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમનાં દીકરી આરાધ્યા નાણાવટી હૉસ્પિટલમાં દાખલ

બંનેનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ : હોમ આઇસોલેશનમાં રાખ્યા હતા

મુંબઈ : અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમનાં દીકરી આરાધ્યાને નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે તેમનો બંનેનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો, જોકે તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના પણ કોવિડ રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા હતા અને તેમને બંનેને પણ સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

(12:00 am IST)