Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

રાજકોટમાં કોરોનાથી મોત વધતા રાજ્ય સરકાર દ્વારા ખાસ સનદી અધિકારીની નિમણૂંક

રાજ્ય સરકાર દ્વારા રવિન્દ્ર ખતાલેને OSD તરીકે રાજકોટની જવાબદારી સોંપાઇ

અમદાવાદ તા. ૧૮ : રાજયમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોનાનો મૃત્યુ દર રાજયમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજય સરકાર દ્વારા વધુ એક IAS અધિકારીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. રાજય સરકાર દ્વારા વધુ એકઙ્ગ OSDની નિમણૂંક કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા રાજકોટમાં કોરોનાના વધતા કેસને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધુ એક IAS અધિકારીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. રાજય સરકારે વધુ એક OSDની નિમણૂંક કરી છે.ઙ્ગ

કોરોનાના વધતા કેસને લઇને રાજય સરકાર દ્વારા રવિન્દ્ર ખતાલેને OSD તરીકે રાજકોટની જવાબદારી સોંપાઇ છે. આમ કોરોનાના કેસ વધતા રાજય સરકારે નિર્ણય લીધો છે.

(3:50 pm IST)