Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

પી.એમ.કેર ફંડમાં ભેગી થયેલી રકમ એન.ડી.આર.એફ.માં જમા કરાવવાની સૂચના ન આપી શકાય : પીએમ કેર્સ દ્વારા એકત્રિત કરેલું ભંડોળ સંપૂર્ણપણે અલગ છે : સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન દ્વારા કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ન્યૂ દિલ્હી : કોરોનાવાયરસ રોગચાળા માટે પીએમ કેર ફંડ હેઠળ એકત્રિત થયેલ રકમને  રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા ભંડોળ (એનડીઆરએફ) માં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટ  કેન્દ્ર સરકારને નિર્દેશ આપી શકશે નહીં . પીએમ કેર્સ દ્વારા એકત્રિત કરેલું ભંડોળ સંપૂર્ણપણે અલગ છે અને તે આ ચેરિટેબલ ટ્રસ્ટનું  ભંડોળ છે. જો સરકારને  યોગ્ય લાગે તો આ  ભંડોળમાં નાણાં ટ્રાન્સફર કરવા સ્વતંત્ર છે.
 પીએમ કેર્સ ફંડ વિરુદ્ધ સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન નામની એનજીઓ દ્વારા કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ કેર્સ ફંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે .જેના અનુસંધાને નામદાર કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:27 pm IST)