Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

વૈષ્ણોદેવી યાત્રામાં ૨૪ કલાકમાં ૨૨ પૂજારી, કર્મચારી અને પોલીસ જવાનોને કોરોના વળગ્યો : હાહાકાર સર્જાયો

જમ્મુ (સુરેશ ડુગ્ગર દ્વારા) : વૈષ્ણોદેવી યાત્રા ઉપર આતંકીઓથી પણ વિશેષ કોરોનાનો જબરો ભય સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વૈષ્ણોદેવી ભવનમાં ૨૨ જેટલા પૂજારી, કર્મચારી અને પોલીસના જવાન કોરોના સંક્રમિત થયા છે. આમ છતા ૧૬ ઓગષ્ટથી શરૂ થયેલ વૈષ્ણોદેવી યાત્રાને સ્થગિત કરવાના પક્ષમાં સત્તાધીશો નથી. માત્ર ૨૦૦૦ શ્રદ્ધાળુઓ માટે રોજ અનેક જીવો જોખમમાં મૂકાઈ રહ્યા છે. ૫ મહિનાના અંતરાલ પછી રવિવારથી માતા વૈષ્ણોદેવીની યાત્રા શરૂ થઈ છે. જયારે કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વૈષ્ણોદેવી મંદિરના પટાંગણમાં ફેલાઈ રહેલ છે.

(5:49 pm IST)