Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

દેશમાં કોરોના વેક્સીન લેનારાની સંખ્યા એક કરોડને પાર પહોંચી

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસથી બચવા માટે અત્યાર સુધી એક કરોડથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે.

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બતાવવામાં આવ્યું છે કે, પાછલા 24 કલાકમાં કોવિડ-19ના 13,193 નવા કેસ આવ્યા પછી કુલ સંક્રમિત (પોઝિટિવ) કેસોની સંખ્યા એક કરોડ (1,09,63,394)ને પાર પહોંચી ગઈ છે. કુલ સંક્રમિત થયેલા લોકોની સંખ્યાના રૂપમાં ભારતમાં દુનિયામાં બીજા નંબર પર બનેલો છે.જ્યારે સક્રિય કોવિડ 19 કેસોની સંખ્યા 1,39,542 છે. જ્યારે એક કરોડ (1,06,67,741)થી વધારે લોકો આ બિમારીની ચપેટમાં આવીને ઠિક થઈ ચૂક્યા છે.

આના સાથે જ કોવિડ-19થી થયેલી વધુ 97 મોત પછી કુલ મરનારાઓની સંખ્યા 1,56,111 થઈ ગઈ છે

(12:58 pm IST)