Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

હિંડનબર્ગ ઈફેક્ટ: અદાણી જૂથનો મુન્દ્રા ખાતેનો પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ સ્થગિત

અદાણી ગ્રૂપે ગુજરાતમાં મુંદ્રા ખાતે રૂ. ૩૫ હજાર કરોડના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ પરનું કામ સ્થગિત કરી દીધું છે હિંડનબર્ગના અહેવાલ પછી વૈશ્વિક બજારમાંથી નાણાં એકત્ર કરી આવા કોઈ વ્યવસાયિક પ્રોજેક્ટને આગળ લઈ જવું એ જોખમ ભરેલું સાહસ હોવાથી આ નિર્ણય લીધા નો અખબારી અહેવાલ વહેતો થયો છે.

જૂથની મુખ્ય અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ એ ૨૦૨૧ માં ગુજરાતના કચ્છ જિલ્લામાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ની જમીન પર ગ્રીનફિલ્ડ કોલ-ટુ-પ્લાસ્ટિક પ્લાન્ટ સ્થાપવા માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની, મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડનો સમાવેશ કર્યો હતો. 

(3:39 pm IST)