Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જામનગરનું નામ વિશ્વ ફલક ઉપર : ‘ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન'નો શિલાન્‍યાસ

ગ્‍લોબલ સેન્‍ટર થકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્‍હ અંકિત કરશે : પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્‍વાસ્‍થ્‍ય બાબતો પર નેતૃત્‍વ પુરૂં પાડશે : પરંપરાગત દવા, સામાજિક - સાંસ્‍કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્‍યાપકપણે વિતરીત થશે : સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્‍થળે સ્‍થાન મળશે : પરંપરાગત ઔષધને પ્રોત્‍સાહન મળશે : ગુજરાત આયુષ ઔષધીનું મુખ્‍ય મથક બનશે : થાન, બાંટવા, પોરબંદર, સુરેન્‍દ્રનગર, જામનગર સહિતની ૧૯ રાસ મંડળીઓ દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કરી મહાનુભાવોને આવકાર : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્‍દ જુગનાથ, WHOના ડાયરેકટર જનરલ ટેડ્રોસ, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવોનું અદકેરૂં સન્‍માન કરતા જામનગરવાસીઓ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૯ : વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે જામનગર પાસેના ગોરધનપરમાં વિશ્વના પ્રથમ ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશનલ મેડીસનના શિલાન્‍યાસ કાર્યક્રમમાં આજે બપોર બાદ પધારી રહ્યા છે. વડાપ્રધાનશ્રીના આગમનને જામનગરવાસીઓ ઉમળકાભેર વધાવશે.
આ પ્રસંગે WHO ના ડાયરેક્‍ટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાનશ્રી પ્રવીન્‍દ જુગનાથ તેમજ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેનાર છે. જામનગરના અતિથિ થનાર તમામ મહાનુભાવોનું જામનગરવાસીઓ અદકેરૂ સ્‍વાગત સન્‍માન કરશે.
જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્‍ય જિલ્લામાંથી આવનાર રાસ મંડળીઓ કાઠીયાવાડી લેહકા સાથે રાસની રમઝટ બોલાવશે. સુરેન્‍દ્રનગર, થાન, જૂનાગઢના બાટવા, પોરબંદર, ધ્રોલના લતીપર સહિતની ૧૯ રાસ મંડળીના કલાકારો તેમની કૃતિ આગવા અંદાજમાં રજૂ કરશે.ઉપરાંત સીદસર, જામનગરના વિવિધ ગૃપ દ્વારા જામનગર ખાતે પધારનાર મહેમાનોના સ્‍વાગત માટે વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. જામનગર-ગુજરાતને પરંપરાંગત ઔષધીઓ માટે ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન સેન્‍ટર વિશેષ ગૌરવ અપાવશે. તેનો જામનગરવાસીઓને વિશેષ ઉત્‍સાહ છે.
વિશ્વમાં પરંપરાગત ચીકીત્‍સા પદ્ધતિઓ માટેનુ વૈશ્વિક કેન્‍દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્‍હ અંકિત કરશે. તેમજ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્‍વાસ્‍થય બાબતો પર નેતૃત્‍વ પુરૂ પાડશે.આ કેન્‍દ્રના માધ્‍યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્‍કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્‍યાપક પણે વિતરીત થશે.
જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્‍દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્‍થળે સ્‍થાન મળશે. તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્‍સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્‍ય મથક બનશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધો માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક દૂરનું  કેન્‍દ્ર જામનગરમાં સાકાર થવાથી અને વિશ્વવસ્‍તરની સંસ્‍થાની સ્‍થાપનાથી ગુજરાત અને જામનગર ગૌરવવંતા થયા છે.
પરંપરગત દવાઓની ગુણવતા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાત્રી થશે.ઉપરાંત ડેટા એકત્ર કરવાના વિશ્‍લેષણો અને અસરનુ મુલ્‍યાંકન કરવા માટે સબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્‍ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા પણ ઉપયોગી પુરવાર થશે.
કેન્‍દ્ર તથા રાજય સરકારના મંત્રીશ્રીઓની ઉપસ્‍થિતમાં યોજાનાર કાર્યક્રમના સુચારૂ આયોજન માટે  તમામ તૈયારીઓને આયુષ વિભાગ, ITRA- જામનગર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુર્ણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના આ નવા પ્રકલ્‍પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્‍સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે. તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્‍દ્ર સ્‍થાન તરીકે ઉભરી આવશે. આ ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્‍ય વ્‍યૂહાત્‍મક ક્ષેત્રો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્‍થકરણ, સ્‍થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્‍ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્‍સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે. તે પરંપરાગત ચિકિત્‍સા પદ્ધતિઓ અને ઉત્‍પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્‍ય પ્રણાલીમાં  યોગ્‍ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.

 

(10:54 am IST)