Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

અમરનાથ યાત્રામાં ધમકી છતાં પણ ભાવિકોની આસ્‍થા યથાવતઃ ૩૦ વર્ષમાં ૯૦થી વધુ ભાવિકોને મોતને ઘાટ ઉતાર્યા છે

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા. ૧૯ :.. ટીઆરએફ દ્વારા અમરનાથ યાત્રામાં ધમકી આપવામાં આવી હોવા છતાં ભાવિકોની આસ્‍થા યથાવત છે. છેલ્લા ૩૦ વર્ષ દરમિયાન આતંકીઓએ ૯૦ થી વધુ અમરનાથ યાત્રિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્‍યા છે.
લશ્‍કર એ તૌયબાનો જમણો હાથ સમાન આતંકવાદી સંગઠન ટી.આર. એફ. એ. અમરનાથ યાત્રામાં હુમલો કરવાની ધમકી આપી છે. તેમ છતાં પણ ભાવિકો અમરનાથ યાત્રામાં જવા તત્‍પર છે.
ટી.આર.એફ.એ. ભાવિકોને અમરનાથ યાત્રાથી દુર રહેવાની ચેતવણી પણ આપી છે તેમ છતાં ભાવિકોની શ્રધ્‍ધા ડગમગી નથી.
આતંકવાદીઓ ર૦૦૩ થી ર૦૧૬ સુધીમાં અમરનાથ યાત્રાને અડચણ કરવામાં સફળ થયા નથી.

 

(4:03 pm IST)