Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પંજાબની સંગરુર જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ: 2 કેદીઓના મોત; 2 ગંભીર

જેલની અંદર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરાયા :જેલમાં જેલ અધિકારીઓની સાથે પોલીસ અધિકારીઓ પણ હાજર

પંજાબની સંગરુર જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બંને વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી.બંને તરફથી એકબીજા પર ઘાતક હુમલો થયો હતો. આ લોહિયાળ અથડામણમાં બે કેદીઓના મોત થયા હતા. આ ઘટનામાં બે કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

   પંજાબની સંગરુર જેલમાં શુક્રવારે સાંજે ભારે હંગામો થયો હતો. જેલમાં કેદીઓ વચ્ચે થયેલી લોહિયાળ અથડામણમાં બે કેદીઓના મોત થયા છે, જ્યારે બેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં જેલની અંદર સ્થિતિ તંગ છે. તેને જોતા જેલની અંદર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. જેલમાં જેલ અધિકારીઓની સાથે પોલીસ અધિકારીઓ પણ હાજર છે. કેદીઓ વચ્ચે આ અથડામણ કેવી રીતે થઈ તે અંગે પોલીસ અધિકારીઓ તપાસમાં વ્યસ્ત છે

   કેદીઓ વચ્ચે કેમ લડ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલ થયેલા કેદીઓને ગંભીર હાલતમાં પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ જ કંઈક કહી શકાશે. ઘટના અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

    સંગરુર જેલમાં કેદીઓના બે જૂથો કોઈ મુદ્દે એકબીજા સાથે અથડામણ થઈ હતી. બંને વચ્ચે જીવલેણ હુમલો થયો હતો. કેદીઓ વચ્ચે મારામારીના કારણે જેલમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. સૂત્રોનું માનીએ તો કેદીઓના એક જૂથે કટર વડે હુમલો કર્યો હતો. કટરના હુમલામાં બે કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોહીથી લથબથ બંને કેદીઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃત્યુ પામેલા કેદીઓની ઓળખ હર્ષ અને ધર્મેન્દ્ર તરીકે થઈ છે.

   
(9:52 pm IST)