Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

કેરળમાં કોરોનામાં રાહત મળતા દેશમાં નવા 12.336 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 19.452 દર્દીઓ રિકવર થયા : વધુ 164 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.52.485 થયો :એક્ટીવ કેસ 1.76.599 થયા : કુલ કેસની સંખ્યા 3.40.93.387 થઇ

સૌથી વધુ કેરળમાં 6676 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1485 કેસ, તામિલનાડુમાં 1192 કેસ,પશ્ચિમ બંગાળમાં 690 કેસ, ઓરિસ્સામાં 340 કેસ, આંધ્રપ્રદેશમાં 332 કેસ,મિઝોરમમાં 249 કેસ, કર્ણાટકમાં 214 કેસ, આસામમાં 298 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 12.336 કેસ નોંધાયા છે. જ્યારે 19.452 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 12.336 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 164 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.52.485 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 12.336 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.40.93.387 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.76.599 થઇ છે છેલ્લા 24 કલાકમાં 19.452 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.34.51.170 લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ કેરળમાં 6676 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1485 કેસ, તામિલનાડુમાં 1192 કેસ, પશ્ચિમ બંગાળમાં 690 કેસ, ઓરિસ્સામાં 340 કેસ, આંધ્રપ્રદેશમાં 332 કેસ,મિઝોરમમાં 249 કેસ, કર્ણાટકમાં 214 કેસ, આસામમાં 298 કેસ નોંધાયા છે

(1:03 am IST)