Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

છઠ્ઠ પૂજા માટે હાઇકોર્ટે મંજૂરી ન આપી

જીવતા હોઈશુ તો તહેવાર ઉજવી શકીશું

નવી દિલ્હી, તા.૧૯: દેશની રાજધાની દિલ્હીમાં હાઈકોર્ટે ઘાટ પર છઠ્ઠ પૂજા કરવા માટે પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો છે.હાઈકોર્ટનુ કહેવુ છે કે, પિટિશન કરનાર દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે જાણકારી નથી લાગતી. કોઈ પણ ધર્મનો તહેવાર ઉજવવા માટે પહેલા જીવતા રહેવુ પણ જરુરી છે.

દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસને લઈને છઠ્ઠ પૂજા પરનુ રાજકારણ ગરમાયુ છે.ભાજપે કેજરીવાલ સરકાર પાસે જવાબ માંગ્યો છે તો સરકારનુ કહેવુ છે કે, જાહેર સ્થળોએ ભીડ એકઠી થવાનો ખતરો છે. દિલ્હી સરકારના આદેશનો પૂજાનુ આયોજન કરતી સમિતિઓએ વિરોધ કર્યો છે. એ પછી હાઈકોર્ટે પણ સરકારની જેમ છઠ્ઠ પૂજાની પરવાનગી આપવાની ના પાડી દીધી છે.ભાજપનુ કહેવુ છે કે, જો છઠ્ઠ પૂજા માટે સરકાર પરવાનગી આપી નથી રહી તો દારુની દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં કઈ ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવ્યુ છે એનો જવાબ સરકાર આપે.

ઉલ્લેખનીય છે કે, રાજધાનીમાં મોટી સંખ્યામાં બિહારના લોકો રહે છે અને તેના કારણે રાજધાનીમાં છઠ્ઠ પૂજાનુ મહત્વ પણ રહેતુ હોય છે. જોકે આ વખતે કોરોનાના બીજા વેવના કારણે છઠ્ઠ પૂજાની પરવાનગી દિલ્હીમાં અપાઈ નથી.

(12:07 pm IST)