Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ચંદ્રયાન પછી ભારતની હવે 2023માં ગગનયાન સહિત અનેક અવકાશ મિશનની તૈયારીઓ શરૂ

ત્રણ અવકાશયાત્રીઓને 3 દિવસના મિશન માટે 400 કિલોમીટરની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે

નવી દિલ્હી :અવકાશ ક્ષેત્રે ભારતનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. ચંદ્રયાન પછી ભારતે હવે 2023માં ગગનયાન સહિત અનેક અવકાશ મિશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ISRO ગગનયાનને 3 માણસો સાથે અવકાશમાં મોકલવાની યોજના તૈયાર કરી રહ્યું છે.

 ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વડા એસ સોમનાથે કહ્યું કે વર્ષ 2023માં અમે ગગનયાનની તૈયારી સહિત ઘણા નવા મિશન શરૂ કરીશું. માનવસહિત અવકાશ મિશન ગગનયાનની તૈયારીઓ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગગનયાન પ્રોજેક્ટ હેઠળ, માનવસહિત અવકાશ ઉડાનની ક્ષમતા દર્શાવવા માટે ત્રણ અવકાશયાત્રીઓને 3 દિવસના મિશન માટે 400 કિલોમીટરની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે અને પછી હિંદ મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવશે.

ISROના વડાએ જણાવ્યું હતું કે શુક્રવારના LV D2 ના સફળ પ્રક્ષેપણે ISROના વ્યસ્ત શેડ્યૂલ માટે આ વર્ષે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનો (PSLVs) અને જીઓ-સ્ટેશનરી સેટેલાઇટ લોંચ વ્હીકલ (GSLVs) સાથે આ વર્ષે લોન્ચ થવાની ધારણા છે. સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ (SSLV) D2 ના સફળ પ્રક્ષેપણ પછી અહીં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે હાલમાં અમે GSLV Mk-III ના આગામી પ્રક્ષેપણ માટે તૈયારી કરી રહ્યા છીએ અને OneWeb India-2 માર્ચના મધ્યમાં LVM 3 M3 હેઠળ લોન્ચ કરવામાં આવશે. જેમાં 36 ઉપગ્રહ હશે. SLV પ્રક્ષેપણ પછી તરત જ ISRO એ PSLV C 55 મિશનનું પ્રક્ષેપણ અભિયાન શરૂ કર્યું. આ લોન્ચ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે હશે જે કોમર્શિયલ લોન્ચ છે. અન્ય યોજનાઓમાં ફરીથી વાપરી શકાય તેવા લોન્ચ વ્હીકલના લેન્ડિંગ ડેમોસ્ટ્રેશનનો સમાવેશ થાય છે. સોમનાથે કહ્યું કે, હાલમાં ટીમ ચિત્રદુર્ગમાં કેન્દ્રમાં છે. અમને આશા છે કે થોડા દિવસોમાં પ્રારંભિક તૈયારીઓ થઈ જશે અને અમે લેન્ડિંગ ડેમોસ્ટ્રેશન કરી શકીશું.

(9:16 pm IST)