Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મધ્યપ્રદેશમાં બસ પલટી જતાં કેરળના 16 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત:હેલ્પરનું મોત

કેરળના વિધાર્થીઓ બસમાં બેસીને ફિલ્ડ વિઝિટમાં જઈ રહ્યાં હતા ત્યારે અકસ્માત નડ્યો

મધ્યપ્રદેશના પન્ના જીલ્લામાં બસ પલટી જતાં કેરળના 16 વિધાર્થીઓને ઈજાઓ થઈ છે,જ્યારે બસમાં હેલ્પર તરીકે હાજર વ્યક્તિનું મોત નીપજ્યું છે. કેરળના વિધાર્થીઓ બસમાં બેસીને ફિલ્ડ વિઝિટમાં જઈ રહ્યાં હતા ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસ અધિકારીએ રવિવારે આ અંગે જાણકારી આપી હતી

રાઈપુરા પોલીસ સ્ટેશનના ઈનચાર્જ – સુધીર બૈગીએ જણાવ્યું કે આ અકસ્માત કુવાખેડા વિસ્તાર પાસે બન્યો હતો. થ્રિસુરની કોલેજના વિધાર્થીઓ ફિલ્ડ વિઝિટ માટે મધ્યપ્રદેશના કટની જઈ રહ્યાં હતા, જોકે બસ અચનાક પલટી ખાઈ જતાં 16 વિધાર્થીઓને ઈજાઓ થઈ હતી અને એક હેલ્પરનું મોત નીપજ્યું હતું. આ બસમાં કુલ 32 વિધાર્થીઓ મુસાફરી કરી રહ્યાં હતા, જે પૈકી 16ને નજીકના હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી  છે.

બે વિધાર્થીઓને સારવાર માટે જબલપુર મોકલાવામાં આવ્યા છે. આ પૈકી એક વિધાર્થીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે અન્ય વિધાર્થીને પગમાં ઈજાઓ થઈ છે

(11:51 pm IST)