Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

વડાપ્રધાન મોદીએ બિહાર,આસામ ,આંધ્રપ્રદેશ સહીત સાત રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી : કોરોના અને પૂરની સ્થિતિ પર ચર્ચા

કોરોના અને પૂરની સ્થિતી વિશે ચર્ચા કરી કેન્દ્ર સરકાર તરફથી જરૂરી મદદ માટે વિશ્વાસ આપ્યો

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ બિહાર, અસમ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓની સાથે ફોન પર વાતચીત કરી. વડાપ્રધાને આ દરમિયાન આ રાજ્યોમાં કોરોના અને પૂરની સ્થિતી વિશે વિસ્તારથી ચર્ચા કરી. સાથે જ તેમને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી મદદ માટે વિશ્વાસ આપ્યો.છે દેશના ઘણા રાજ્યો પૂરની સ્થિતીનો સામનો કરી રહ્યા છે. અસમ પણ આ રાજ્યોમાંથી એક છે. આ પૂરના કારણે આ વર્ષે અત્યાર સુધી 81 લોકોના મોત થઈ ચૂક્યા છે. વડાપ્રધાને અસમમાં પૂરના કારણે પેદા થયેલી સ્થિતી સામે નિપટવા માટે રાજ્યને મદદ કરવા માટે આશ્વાસન આપ્યું.

(10:31 am IST)