Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

શહીદ થયેલા સીઆરપીએફના બે જવાનોના પરિવારને બિહાર સરકાર ૩૬-૩૬ લાખ આપશે

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા ખાતે શહીદ થયેલા સીઆરપીએફના બે જવાનોના પરિવારને બિહાર સરકાર ૩૬-૩૬ લાખ રૂપિયા આપશે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના કાર્યાલયે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં બારામુલ્લા ખાતે શહીદ થયેલા સીઆરપીએફના બે જવાનોના પરિવારને બિહાર સરકારે ૩૬-૩૬ લાખ રૂપિયા તથા પરિવારના એક આશ્રિતને નોકરી આપવાનું એલાન કર્યું છે. મુખ્યમંત્રી કાર્યાલએ જણાવ્યું કે ૨૫-૨૫ લાખ રૂપિયા મુખ્યમંત્રી ના રાહત ભંડોળમાંથી આપવામાં આવશે. બારામુલ્લા ખાતે આતંકી હુમલા પછી હુમલો કરનાર ત્રણેય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

 

(8:47 am IST)