Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

પીએમ મોદીનો ધોનીને ભાવુક પત્ર...

તમારી નિવૃત્તિથી ૧૩૦ કરોડ ભારતીયો નિરાશ

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ તાજેતરમાં નિવૃત્તિ લેનાર ધોનીને એક ભાવુક પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તમે ક્રિકેટ જગતમાંથી લીધેલી નિવૃત્તિને કારણે ૧૩૦ કરોડ ભારતીયો નિરાશ છે પણ સાથે જ તમે છેલ્લા દોઢ દાયકામાં ભારત માટે કર્યુ તેના માટે દેશવાસીઓ તમારા આભારી પણ છેઃ પીએમ મોદીએ પત્રમાં લખ્યુ છે કે, તમે ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છેઃ ભારતને દુનિયાની ટોપ ટીમ બનાવવામાં તમારૂ મહત્વનું યોગદાન છેઃ ક્રિકેટના ઇતિહાસમાં તમારૂ નામ વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં, સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાં અને સર્વશ્રેષ્ઠ વિકેટકીપર્સમાં લેવામાં આવશેઃ એક નાના શહેરથી ઉછરીને તમે રાષ્ટ્રીય સ્તરે છવાઇ ગયા છો અને તમે દેશને ગૌરવ અપાવ્યુ છેઃ વડાપ્રધાને વધુમાં લખ્યુ છે કે, મુશ્કેલી પરિસ્થિતિમાં તમારા પર નિર્ભરતા અને મેચને ખતમ કરવાની તમારી સ્ટાઇલ, ખાસ કરીને ૨૦૧૧નો વર્લ્ડકપ ફાઇનલ પેઢીઓ સુધી લોકો યાદ રાખશેઃ રીસ્ક લેવાની તમારી પધ્ધતિ પણ અજોડ હતી

(3:54 pm IST)