Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

સુશાંતસિંહ રાજપૂત કેસના સાક્ષીઓની હત્‍યા કરી દેવાય તેવી મને શંકા છેઃ સુશાંતના ભાઇ નીરજ બબલુએ ચિંતા વ્‍યક્‍ત કરી

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં હાલ તપાસ ચાલી રહી છે, તો તેના મોતને લઈને નિવેદનબાજી પણ ચાલી રહી છે. હવે સુશાંત સિંહ રાજપૂતના ભાઈ નીરજ બબલૂએ મોટું નિવેદન આપ્યું છે.

નીરજ બબલૂએ મુંબઈ પોલીસ પર નિશાન સાધતા કહ્યુ કે, મુંબઈ પોલીસએ એફઆઈઆર પણ નોંધી નથી. પોલીસનો ચહેરો ઉઘાડો પડી ગયો છે. સાથે તેમણે કહ્યું કે, સાક્ષીઓને ધમકી મળી રહી છે. તેને સુરક્ષા મળી રહી નથી. તેવું ન બને કે સાક્ષીઓની હત્યા કરી દેવામાં આવે. તેમણે કહ્યું, 'જે રીતે વસ્તુ સામે આવી રહી છે, તેનાથી લાગી રહ્યું છે કે સાક્ષીઓની હત્યા થઈ શકે છે. અમે માગ કરીએ છીએ કે સાક્ષીઓને પોલીસ સુરક્ષા આપવામાં આવે.'

સુશાંત સિંહ રાજપૂતના દોસ્ત સંદીપ પર પણ સવાલ કરતા તેમણે કહ્યું કે, જે ડેડ બોડી લઈને ગયો તે સૌથી વધુ શંકાના ઘેરામાં છે. તેની પણ પૂછપરછ થવી જોઈએ. ડોમેસ્ટિક સ્ટાફની પૂછપરછ થઈ નથી. ત્યાં સુધી કે કસ્ટડીમાં લેવામાં ન આવ્યા અને ન વીડિયો બન્યો. સાથે સુશઆંતને લઈને નીરજ બબલૂએ કહ્યુ કે, હું કહી રહ્યો છું કે મારા ભાઈની હત્યા થઈ છે, તેને ગળુ દબાવીને મારવામાં આવ્યો છે.

(5:00 pm IST)