Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

જો ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો તો તે આખરી હશે અને અણુ યુદ્ધ સર્જાશે પાકિસ્તાનના લશ્કરી અફસરનો વિસ્ફોટક ટીવી ઈન્ટરવ્યુ

પાકિસ્તાનનીસમા ટીવી ચેનલ ઉપર પાકિસ્તાનના લશ્કરી અફસરે શેખી મારતા કહ્યું છે કે જો ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરશે તો તે પરંપરાગત યુદ્ધ નહીં હોય પરંતુ ખૂની અને  પરમાણુ  યુદ્ધ સર્જાશે અને આ યુદ્ધ આખરી યુદ્ધ હશે. તેમણે કહ્યું કે અમારી પાસે પૂરતા પરમાણુ શસ્ત્રો છે, નાના હથિયારો છે અને છેક  આસામ સુધી અમે હુમલા એવી રીતે કરશું કે  મુસલમાનોની જાનહાનિ ન થાય. જોકે તેમણે કબૂલ્યું હતું કે પાકિસ્તાન પાસે પરંપરાગત યુદ્ધ માટે કોઇ ગુંજાઇશ નથી. જાણીતા પત્રકાર અને ટીવી ચેનલ ઉપર દંગલ સિધ્ધિ જાણીતા રોહિત સરદાના એ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર આ વિડીયો મુકેલ છે

(9:49 pm IST)