Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

જો પાર્ટી ચૂંટણી લડવાનું કહેશે તો ચૂંટણી લડીશ : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મોટું નિવેદન

ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીએ મા અંબાજી દર્શન કરીને ધન્યતા અનુભવી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂકયા છે અને દરેક રાજકીય પાર્ટીએ હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓની સક્રિયતા પણ વધી છે. તેવામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે

 પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ વિધાનસભાની ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ પાછલા ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ વિજયભાઈ  રૂપાણીએ આ અંગે સ્ષટતા કરી છે. તેમણે આ અંગેનો નિર્ણય સરકાર પર છોડ્યો છે. વિજયભાઈ  રૂપાણીએ કહ્યું હતું કે પાર્ટી ચૂંટણી લડવાનું કહેશે તો ચૂંટણી લડીશ.

ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ  રૂપાણીએ મા અંબાજીના શરણે પહોંચ્યા હતા. તેમણે મા અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વિજયભાઈ  રૂપાણીએ દાંતાના કુકડી ગામના મૃતક યાત્રાળુઓ માટે સંવેદના વ્યક્ત કરી હતી.

 

(1:40 pm IST)