Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

" જય શ્રી રામ " : અયોધ્યામાં રામમંદિર ભૂમિ પૂજન પ્રસંગે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, હોમ મિનિસ્ટર અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, આર.એસ.એસ.સુપ્રીમો મોહન ભાગવતે, બિહારના ચીફ મિનિસ્ટર નીતીશકુમાર, મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરે સહિતના મહાનુભાવોને આમંત્રણ પાઠવાયા

અયોધ્યા : અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ આયોજિત રામમંદિર ભૂમિ પૂજન પ્રસંગે મંદિર નિર્માણ માટેના પાયાના કાર્યકરો  લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ પાઠવાયું છે.

આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ,હોમ મિનિસ્ટર અમિત શાહ ,રક્ષામંત્રી રાજનાથ સિંહ ,આર.એસ.એસ.સુપ્રીમો  મોહન ભાગવતે , બિહારના ચીફ મિનિસ્ટર નીતીશકુમાર ,મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરે ,સહિતના મહાનુભાવોને આમંત્રણ  પાઠવાયા છે.

કોરોના કહેરને કારણે ભૂમિ પૂજન પ્રસંગે આમંત્રિતોની સંખ્યા 300 થી વધુ ન થાય તે માટે રામ જન્મભૂમિ   તીર્થક્ષેત્ર  ટ્રસ્ટ ચીવટ રાખશે તેમ જણાવાયું છે.

(11:09 am IST)