Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

રાયપુરની જિલ્લા હૉસ્પિટલમાં 3 બાળકોના મોત :પરિવારે ડૉક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવતા હોબાળો મચાવ્યો

હૉસ્પિટલમાં રહેલા એક દર્દીના પરિવારે દાવો કર્યો છે કે 3 નહીં, પરંતુ 7 બાળકોના મોત થયા

છત્તીસગઢની રાજધાની રાયપુરની જિલ્લા હૉસ્પિટલમાં રાત્રે 8 વાગ્યા બાદ 3 બાળકોના મોત થયા. ત્યારબાદ પરિવારે ડૉક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવતા હોબાળો મચાવ્યો. પરિવારનો આરોપ હતો કે તબિયત બગડવા પર બાળકોને ઑક્સિજન લગાવ્યા વગર બીજી હૉસ્પિટલમાં રેફર કરવામાં આવી રહ્યા હતા. તો હૉસ્પિટલમાં રહેલા એક દર્દીના પરિવારે દાવો કર્યો છે કે 3 નહીં, પરંતુ 7 બાળકોના મોત થયા છે.

(12:42 pm IST)