Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ચેન્નાઈ સ્થિત મુસ્લિમ દંપતિ સુબીના બાનો અને તેમના પતિ અબ્દુલ ગનીએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ૧.૦૨ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તેમાંથી ૮૭ લાખ રૂપિયાનો ઉપયોગ નવા બનેલા પદ્માવતી રેસ્ટ હાઉસ માટે ફર્નિચર અને વાસણો ખરીદવા માટે કરવામાં આવશે.

ચેન્નાઈ સ્થિત મુસ્લિમ દંપતિ સુબીના બાનો અને તેમના પતિ અબ્દુલ ગનીએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ૧.૦૨ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.  તેમાંથી ૮૭ લાખ રૂપિયાનો ઉપયોગ નવા બનેલા પદ્માવતી રેસ્ટ હાઉસ માટે ફર્નિચર અને વાસણો ખરીદવા માટે કરવામાં આવશે.

આ સાથે અન્ના પ્રસાદમ ટ્રસ્ટને ૧૫ લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ દાનમાં આપ્યો છે. જે ટ્રસ્ટ તિરુપતિ મંદિરમાં આવતા ભક્તોને ભોજન પૂરું પાડે છે. અબ્દુલ ગની એક બિઝનેસમેન છે. ૨૦૨૦માં કોરોના દરમિયાન, મંદિર પરિસરમાં સેનિટાઈઝર છંટકાવ માટે એક ટ્રેક્ટર, સ્પ્રેયર દાન કર્યું હતું. મંદિરમાં શાકભાજી લાવવા માટે ૩૫ લાખ આપ્યા'તા.

(12:38 am IST)